લોકડાઉન માં પરિવારની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખી ગ્રેનસ દ્વારા ડિપ્રેશન હેલ્પલાઇન પણ શરુ કરવામાં આવી

લોકડાઉન દરમિયાન ઘણા પ્રકારના વ્યક્તિગત કારણોસર એવું માનવામાં આવી રહ્યું છે કે હના લોકો ડિપ્રેશન માં જય રહ્યા છે. જો આ ડિપ્રેશન નું ત્વરિત સંધાન ના થાય તો સ્થિતિ વધુ ગંભીર થઇ શેકે તેમ છે. ડિપ્રેશન ના અલગ અલગ કારણો હોય શકે છે. પરંતુ મુખ્ય કારણોમાં જોબ જવાનો ભય અથવા વ્યવસાયિક ક્ષેત્રે નિષ્ફ્ળતા મળશે એનો ભય મુખ્ય છે. તો આવા સમયે જયારે લોકો ઘરની બહાર પણ નીકળી શકે તેમ નથી તેમના માટે ગ્રેનસ દ્વારા ડિપ્રેશન હેલ્પલાઇન શરુ કરવામાં આવી. જેમાં અમે અમુક સાયકોલોજીસ્ટ ને જોડ્યા કે જેઓ ટેલિફોન દ્વારા માર્ગદર્શન આપી શકે.

ડિપ્રેશન ની સારવાર માટે લોક જાગૃતિ નો અભાવ: પરંતુ આપણા દેશમાં ડિપ્રેશન જેવી સમસ્યાને બીમારી માનવામાં આવતી નથી અને એ માટે લોક જાગૃતિ નો પણ સદંતર અભાવ છે. અને એટલે જ એવા કોઈ કોલ અમને ના મળ્યા જેમાં જે તે પરિવારની વ્યક્તિએ પોતાના ઘરના ડિપ્રેશ્ડ (માનસિક હતાશ) સદસ્ય અને સલાહ માંગી હોય. હતાશા તો હતી જ, છે અને વધી રહી છે, પરંતુ ડિપ્રેશન જેવી સમસ્યાના નિરાકરણ માટે નિષ્ણાતની સલાહ લેવા ની જાગૃતિ નો લોકોમાં અભાવ જોવા મળ્યો. હેલ્પલાઇન સ્ટાર્ટ કર્યાના 20 દિવસ સુધી ગ્રેનસની ડિપ્રેશન હેલ્પલાઇન માં કોઈ કેસ નોંધાયા નથી. પરંતુ અમે લોક જાગૃતિ માટે આ ક્ષેત્રે કાર્યરત રહીશું.